Nehodí se? Vůbec nevadí! Zboží můžete vrátit až do 30 dní
S dárkovým poukazem nešlápnete vedle. Obdarovaný si za dárkový poukaz může vybrat cokoliv z naší nabídky.
Až 30 dní na vrácení zboží
શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક પૂરતો જ સીમિત નથી હોતો; શિક્ષક એક માર્ગદર્શક, પ્રેરણાસ્ત્રોત અને સંસ્કારનો શિલ્પી હોય છે. ખાસ કરીને પ્રાથમિક શાળાનો શિક્ષક તો બાળકના જીવનનો પ્રથમ ઘડતરકાર છે. બાળમનની કોમળ માટીમાં સ્વપ્નો, મૂલ્યો અને આત્મવિશ્વાસનાં બીજ વાવવાનો પવિત્ર વારસો પ્રાથમિક શિક્ષક જ નિભાવતો હોય છે. આ વાર્તાસંગ્રહ એ એવા જ શિક્ષકોની જીવંત, સત્ય અને પ્રેરણાદાયક ઘટનાઓનું દસ્તાવેજીકરણ છે, જેઓએ પોતાના વિષયજ્ઞાન અને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના જીવનમાં પરિવર્તન લાવી તેમને સફળતાની સીડીઓ ચડાવવામાં સહાય કરી છે.
આજના સમયમાં શિક્ષણનો અર્થ માત્ર ગુણપત્રકમાં સારા ગુણ મેળવવો એટલો જ નથી રહ્યો. શિક્ષણનો વ્યાપ વ્યક્તિના સર્વાંગી વિકાસ સુધી વિસ્તર્યો છે. રમતગમત, સંગીત, કલા, વાદવિવાદ, વિજ્ઞાનના પ્રયોગો, સ્કાઉટ-ગાઈડ, બાગકામ અને સ્વચ્છતા અભિયાન જેવી અનેક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળક પોતાની આંતરિક શક્તિઓને ઓળખી શકે છે. ઘણી વાર એવું બને છે કે ભણવામાં સરેરાશ દેખાતો વિદ્યાર્થી રમતના મેદાનમાં ચમકે છે, ચિત્રકલા દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે અથવા સંગીતમાં પોતાની ઓળખ બનાવે છે. એવી ક્ષણોમાં શિક્ષકનું એક પ્રોત્સાહક વાક્ય, એક વિશ્વાસભરી નજર કે એક યોગ્ય માર્ગદર્શન બાળકના જીવનની દિશા બદલી શકે છે.
આ સંગ્રહમાં સમાવાયેલી વાર્તાઓ કોઈ કલ્પિત ગાથાઓ નથી, પરંતુ જીવનના વાસ્તવિક અનુભવો છે. અમારી સરખેજ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષકોએ એમની શૈક્ષણિક ફરજો બજાવવાની સાથે કરેલા સાચા પ્રયોગો છે. આ પ્રસંગોમાં ક્યારેક તોફાની વિદ્યાર્થી જવાબદાર નાગરિક બને છે, ક્યારેક આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી દીકરી રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરે છે, તો ક્યારેક શાળામાં અનિયમિત આવતું બાળક શિક્ષકના સ્નેહ અને પ